Shri Bhupendra Patel, Chief Minister of Gujarat (Official Youtube Channel)
Shri Bhupendra Rajnikant Patel was sworn-in as Gujarat’s 17th Chief Minister on September 13, 2021. Shri Bhupendrabhai Patel began his political journey as a member in Memnagar municipality and got elected as MLA from Ghatlodia constituency (Ahmedabad) in 2017 Gujarat assembly elections.
Bhupendra Patel
Nagrik Devo Bhava
Delighted that the Government of Gujarat has entered into an important MoU with Meta to strengthen citizen-centric digital governance.
Under this initiative, citizens across Gujarat will be able to avail nearly 20 important government services through a single WhatsApp platform in Gujarati and English - including grievance redressal support, income, caste and EWS certificates, ration card updates, revenue records, official affidavits and more.
Inspired by Hon’ble Prime Minister Shri Narendra Modi Ji's vision of #DigitalIndia, this collaboration marks a significant step towards WhatsApp Governance, making government services simpler, faster and more accessible for every citizen in just a few clicks on mobile phones.
The Government is committed to progressively integrating more public services with this WhatsApp-based platform in the coming days, ensuring that citizens no longer need to navigate multiple portals or stand in long queues for essential services.
2 days ago | [YT] | 234
View 6 replies
Bhupendra Patel
Glad to meet Consul General of the Russian Federation in Mumbai, Mr. Ivan Fetisov, in Gandhinagar today.
We discussed opportunities to strengthen Gujarat-Russia cooperation in maritime, shipbuilding and education sectors. Shared how, under the visionary leadership of Hon’ble PM Shri Narendra Modi, Gujarat has emerged as a leader in port-led development, cargo handling, ship recycling and shipbuilding.
Also discussed enhancing industrial partnerships and strengthening business engagement between Gujarat and Russia through Vibrant Gujarat Global Summit and other collaborative platforms.
5 days ago | [YT] | 265
View 7 replies
Bhupendra Patel
આજે અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદના પ્રથમ ઇન્ટિગ્રેટેડ ટેક સિટી 'મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક - ફેઝ 1' અને 'GREMI સિટી કેમ્પસ'નું લોકાર્પણ સંપન્ન થયું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ તથા માનનીય શ્રી અમિતભાઈ શાહના કુશળ દિશાદર્શનમાં ગુજરાત આજે પોર્ટ્સ, મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ બાદ, હવે હાઈ-સ્કીલ એમ્પ્લોયમેન્ટ અને અદ્યતન ટેકનોલોજીના સહારે વિકાસનો નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે.
મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક એ માત્ર એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ નથી, પરંતુ ડિજિટલ ઇકોનોમી, AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભવિષ્યની રોજગારીનું સશક્ત માધ્યમ છે.
આ પ્રોજેક્ટ આપણા યુવા એન્જિનિયર્સ, સ્પેશિયાલિસ્ટ્સ, ડિઝાઇનર્સ અને યુવા ઇનોવેટર્સ માટે ઉચ્ચ કારકિર્દીની વિશાળ તકો ઉભી કરશે.
ગિફ્ટ સિટી અને ધોલેરા જેવા શક્તિશાળી આર્થિક કેન્દ્રો સાથે આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લસ્ટર્સ, માનનીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં વિકસિત ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન સુનિશ્ચિત કરશે.
1 week ago | [YT] | 210
View 3 replies
Bhupendra Patel
ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અમદાવાદ-ગાંધીનગરના અવિરત અને સર્વગ્રાહી વિકાસ માટે સતત કર્તવ્યરત છે.
આજે તેઓશ્રીની અધ્યક્ષતામાં યોજાએલ બેઠકોમાં સહભાગી થઈ તેમનું અમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું.
માનનીય શ્રી અમિતભાઈએ 'રમશે બાળક - ખીલશે બાળક' અભિયાનના પ્રભારીઓ-સહપ્રભારીઓ સાથે ચર્ચા કરીને જરૂરિયાતમંદ બાળકો સુધી રમકડા પહોંચાડવાની આ પહેલ અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
1 week ago | [YT] | 218
View 1 reply
Bhupendra Patel
આજે 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' નિમિત્તે, આવો આપણે સૌ સાથે મળીને ડેન્ગ્યુ મુક્ત અને સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ.
#NationalDengueDay ની આ વર્ષની થીમ “Community Participation for Dengue Control: Check, Clean and Cover” છે, જેને સાર્થક કરવા સૌ નાગરિકોને નમ્ર અપીલ છે.
* આપણા ઘરમાં કે આસપાસ ક્યાંય પણ બંધિયાર પાણી લાંબો સમય ભરાઈ ન રહે તેની નિયમિત તપાસ કરીએ.
* પાણીના કુંડા અને કુલર વગેરેને નિયમિત રીતે સ્વચ્છ કરીએ.
* પાણી સંગ્રહના તમામ સાધનોને હંમેશા યોગ્ય રીતે ઢાંકીને રાખીએ.
* મચ્છરદાની કે મચ્છર પ્રતિરોધક સાધનોનો ઉપયોગ કરીએ.
જો સાવધાન ન રહીએ તો ડેન્ગ્યુ પ્રાણઘાતક પણ બની શકે છે. આપણી સતર્કતા જ આપણને અને આપણા પરિવારને સુરક્ષિત રાખી શકે છે.
આવો, જનજાગૃતિ વધારીએ અને ડેન્ગ્યુને હરાવીએ!
1 week ago | [YT] | 100
View 0 replies
Bhupendra Patel
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવજીને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકે પદના શપથ લેવડાવ્યા.
આ ગરિમામય અવસરે માનનીય વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યોની સાથે ઉપસ્થિતિ રહીને નવનિયુક્ત લોકાયુક્ત શ્રી બિરેન વૈષ્ણવજીને અભિનંદન સહ સફળ કાર્યકાળ માટે મંગલકામનાઓ પાઠવી.
2 weeks ago | [YT] | 141
View 1 reply
Bhupendra Patel
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે નવનિર્મિત ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’નું આજે લોકાર્પણ કર્યું.
રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં ડાયાલિસિસ, સર્જરી, પેથોલોજી અને ગાયનેકોલોજી સહિતની આશરે ૧૦ જેટલી આરોગ્ય સેવાઓ પંથકના નાગરિકોને સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ થશે.
પૂજ્ય મોરારી બાપુની પ્રેરણા અને દાતાશ્રીઓના સહયોગથી નિર્મિત આ 'સેવા મંદિર' સ્થાનિક સ્તરે ઉત્તમ સારવાર પૂરી પાડવામાં મહત્વનું નિમિત્ત બનશે.
માનવસેવાના આ ભગીરથ કાર્ય માટે શ્રી અંબરીશભાઈ ડેર અને સૌ ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન તથા પંથકના નાગરિકોના નિરામય ભવિષ્ય માટે અનેક શુભકામનાઓ પાઠવું છું.
2 weeks ago | [YT] | 161
View 2 replies
Bhupendra Patel
ભારતના મહાન કવિ અને તત્વચિંતક, નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જયંતીએ ભાવાંજલિ.
ગુરુદેવ ટાગોરે 'ગીતાંજલિ' જેવી કૃતિઓ દ્વારા ભારતીય દર્શનની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવી. તેમની કલમે માનવતાવાદ અને આધ્યાત્મિકતાનો જે અદભૂત સંગમ સાધ્યો છે, તે પેઢીઓ સુધી વિશ્વને પ્રેરણા આપતો રહેશે.
2 weeks ago | [YT] | 186
View 1 reply
Bhupendra Patel
અપ્રતિમ સાહસ અને શૌર્યના પ્રતીક વીર શિરોમણી મહારાણા પ્રતાપની જયંતી પર શત્ શત્ નમન.
મહારાણા પ્રતાપનું જીવન આપણને શીખવે છે કે રાષ્ટ્રનું ગૌરવ અને સ્વાભિમાન કોઈપણ ભોગે જાળવી રાખવું જોઈએ. મેવાડની પવિત્ર ભૂમિ પર તેમણે જે બહાદુરી અને અડગ નિશ્ચયનો પરિચય આપ્યો, તે યુગો સુધી દેશભક્તો માટે પ્રેરણાનું ઝરણું બની રહેશે.
2 weeks ago | [YT] | 121
View 2 replies
Bhupendra Patel
ભારતમાતાના મહાન સપૂત, પ્રખર સમાજ સુધારક અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેજીની જયંતીએ ભાવસભર વંદન.
સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી દ્વારા તેમણે યુવાનોમાં રાષ્ટ્રસેવા અને જનકલ્યાણના સંસ્કારોનું સિંચન કર્યું. સાદગી અને સત્યના આગ્રહી એવા ગોખલેજીના વિચારોએ જ ગાંધીજીને અહિંસા અને સત્યાગ્રહના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી.
ગોખલેજીએ દેશની આઝાદીની લડતમાં નૈતિકતા, શિક્ષણ અને ન્યાયી શાસનનો જે પાયો નાખ્યો હતો, તે આજે પણ સૌ માટે આદર્શ છે.
2 weeks ago | [YT] | 110
View 1 reply
Load more